• INR
Close

Kids

  • Picture of સુખનો ખજાનો [નીલ-१]

સુખનો ખજાનો [નીલ-१]

આ પુસ્તકની શ્રેણીમાં (સીરીઝમાં) નીલ નામના બાળકની બાળ વયથી લઈને યુવાન વય સુધીની તેના મિત્રો સાથેની જીવન યાત્રાને દર્શાવવામાં આવી છે.

Rs 40.00

Description

આ પુસ્તકની શ્રેણીમાં (સીરીઝમાં) નીલ નામના બાળકની બાળ વયથી લઈને યુવાન વય સુધીની તેના મિત્રો સાથેની જીવન યાત્રાને દર્શાવવામાં આવી છે. આ પુસ્તકમાં બાળપણથી શરૂ કરીને યુવાવસ્થા (કિશોરવસ્થા) દરમ્યાન આવતા માનસિક બદલાવો તેમજ શારિરીક અને ભાવનાત્મક પરિવર્તન અને તેના પરિણામે દરેક તબક્કે અનુભવાતી સમસ્યાઓ અને મૂંઝવણોને સચિત્ર દર્શાવવામાં આવી છે.

પરમ પૂજ્ય દાદાશ્રી (આધ્યાત્મિક વિજ્ઞાની) કાયમ કહેતા કે, “અત્યારનું જનરેશન હેલ્ધી માઈન્ડવાળું છે. તેઓ ચોખ્ખા અને નિખાલસ છે. તેઓને કોઈપણ પ્રકારની મમતા નથી બસ, થોડા મોહી છે. આ છોકરાઓને વાળનાર જોઈએ. અમારા હાથે વળે એટલે ઓલરાઈટ થઈ જાય. આમનામાં સંસ્કાર સિંચન બહું ઝાઝો સમય નહી લે”.

પરમ પૂજ્ય દાદાશ્રીની ઉપરોકત વાણીને ધ્યાનમાં રાખીને, એક સુંદર નાનકડી વાર્તા અહીં રજુ કરેલ છે, જેમાં એક ટીનેજર દ્વારા તેના રોજીંદા જીવનમાં અનુભવાતા પ્રસંગોનું વર્ણન છે. આ વાર્તાના પાત્રો ક્યારેક ફસામણ તો ક્યારેક મૂંઝવણ અનુભવે છે. ક્યારેક તેમાંથી તેઓ સલામત રીતે બહાર નીકળી જાય છે તો ક્યારેક તેઓને ખોટા રસ્તે ફસાઈ જતા દર્શાવેલ છે. તેના ખરાબ અને સારા પરિણામો અને સાથે સાથે કેવી રીતે તેઓ આ દરેક પ્રસંગોને પરમ પૂજ્ય દાદાશ્રીની સરળ અને અદભૂત સમજણથી ઉકેલે છે, તેનું કલાત્મક વર્ણન આ પુસ્તકમાં છે.

આ પુસ્તકમાં ......

નીલ સાતમા ધોરણમાં ભણે છે. તેના વેકેશનમાં તે સૌ પ્રથમવાર દાદાશ્રીને મળે છે. આ મુલાકાત પછી તેના જીવનમાં જુદોજ વળાંક આવે છે.

નીલ વિચારે છે કે, “અહોહો! હજી તો એક આખો દિવસ પણ પૂરો નથી થયો, છતાં મારો આનંદ સમાતો નથી, મારી શાંતિ ખસતી નથી, બધાને હું પ્રિય થઈ પડ્યો છું. એટલું બધું સુખ મને અંદરથી જ ઉભરાય છે કે જેના આધારે હું મારી કોઈ પણ વસ્તુ સરળતાથી બીજાને માટે છોડી દઈ શકું છું. જો હું આખી જિંદગી આવી જ રીતે બીજાના સુખને માટે જીવું તો મને આખી જિંદગી આનંદ આનંદ જ રહે”

એ વેકેશનમાં દાદાશ્રી સાથેની તેની મુલાકાત માં એવું તો શું બન્યું કે તેની જિંદગી બદલાઈ ગઈ?

Read More
success