• INR
Close

Books

  • Picture of પ્રતિક્રમણ (૨ પુસ્તકોનો સેટ)

પ્રતિક્રમણ (૨ પુસ્તકોનો સેટ)

આ પુસ્તિકાઓમાં ક્રોધ પાછળનું વિજ્ઞાન અને તમારો ક્રોધ કાઢવા માટેના બધા આધ્યાત્મિક ઉકેલો આપ્યા છે. જીવનમાં તમે એક યા બીજા કારણસર ક્રોધ કરો છો. સંબંધોની સમસ્યાઓમાં ક્રોધનો શું ઉપાય કરવો? ક્રોધ કેવીરીતે કાઢવો? પ્રતિક્રમણના શસ્ત્ર વડે ક્રોધ દૂર કરવાનો રસ્તો છે. ચાલો આપણે પરમ પૂજ્ય દાદાશ્રીના બતાવ્યા મુજબના પ્રતિક્રમણની રીત શીખીએ.

Rs 40.00

Description

. ક્રોધ

. પ્રતિક્રમણ : માફી અને પશ્ચાતાપ દ્વારા છુટકારો

આ પુસ્તિકાઓમાં ક્રોધ પાછળનું વિજ્ઞાન અને તમારો ક્રોધ કાઢવા માટેના બધા આધ્યાત્મિક ઉકેલો આપ્યા છે. જીવનમાં તમે એક યા બીજા કારણસર ક્રોધ કરો છો. સંબંધોની સમસ્યાઓમાં ક્રોધનો શું ઉપાય કરવો? ક્રોધ કેવીરીતે કાઢવો? પ્રતિક્રમણના શસ્ત્ર વડે ક્રોધ દૂર કરવાનો રસ્તો છે. ચાલો આપણે પરમ પૂજ્ય દાદાશ્રીના બતાવ્યા મુજબના પ્રતિક્રમણની રીત શીખીએ.

૧. ક્રોધ  

જયારે પોતાના ધાર્યા પ્રમાણે નથી થતું, અથવા જયારે સામી વ્યક્તિ પોતાને સમજતી નથી, અથવા જયારે દ્રષ્ટિકોણમાં ફરક હોય ત્યારે મોટાભાગે પોતાને ક્રોધ આવે છે. ઘણીવાર આપણને ખોટા માનવામાં આવે છે, જયારે આપણે પોતે સાચા છીએ એમ માનતા હોઈએ ત્યારે આપણને ક્રોધ આવે છે. આપણી પોતાની સમજણના આધારે આપણે પોતાને સાચા માનતા હોઈએ છીએ જયારે સામી વ્યક્તિ માને છે કે તે સાચી છે. મોટાભાગે જયારે આપણને સમજ નથી પડતી કે આગળ શું કરવું, આપણી પાસે દૂરદ્રષ્ટિ કે સૂઝ નથી હોતી ત્યારે આપણે ક્રોધિત થઈએ છીએ.

જે લોકો આપણને સૌથી વધારે પ્રેમ કરે છે તેમની સાથેના સંબંધો ને જ આપણે નુકશાન પહોંચાડીએ છીએ. આપણે આપણા સંતાનોને બધા જ સુખચેન, સાથ, સલામતી આપવા માંગીએ છીએ પરંતુ આપણા ક્રોધથી સંતાનો પોતાના જ ઘરમાં ભયભીત રહે છે.

ક્રોધિત લોકો સાથે કેમ વર્તવું? જયારે કોઈ યંત્ર બહુ ગરમ થઇ જાય, ત્યારે આપણે તેને થોડા સમય માટે એમજ છોડી દેવું જોઈએ તો તે ટુંક સમયમાં ઠંડું થઇ જશે. પરંતુ જો તમે તેને છેડતા રહેશો તો તમે દાઝશો.

તમારા સંબધો અને ક્રોધની સમસ્યાના ઉકેલ માટે આગળ વાંચો.

. પ્રતિક્રમણ : માફી અને પશ્ચાતાપ દ્વારા છુટકારો

પોતાની ઈચ્છા ન હોવા છતાં દરેક મનુષ્ય ભૂલો કરે છે. લોકો પોતાની ભૂલોમાં સપડાય છે અને સતત ભોગવટામાં રહે છે. તેમને એનાથી મુક્ત થવાની, આંતરશાંતિ મેળવવાની, અને મુક્તિના રસ્તે આગળ વધવાની અંતરથી ઈચ્છા હોય છે.

તીર્થંકરો અને જ્ઞાનીઓએ આ જગતને આવા દુઃખો માંથી છૂટવાનું એકમાત્ર સાધન (શસ્ત્ર)  આપ્યું છે, અને તે સાધન (શસ્ત્ર)  એટલે આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન (આલોચના – પોતાની ભૂલોની કબુલાત કરવી; પ્રતિક્રમણ – ભૂલોની માફી માગવી; અને પ્રત્યાખ્યાન – ભૂલો ફરી નહિ કરવાનો દ્રઢ નિશ્ચય). અસંખ્ય લોકો એ આ સાધન (શસ્ત્ર)થી નફરત અને વેરભાવના વિશાળ વટવૃક્ષના મૂળ નો નાશ કરી મુક્તિરૂપી સંપતિ મેળવી છે. જ્ઞાની પુરુષ, દાદા ભગવાને પોતાની વાણી વડે પ્રતિક્રમણનું આ વિજ્ઞાન જેમ છે તેમ ખુલ્લું કર્યું છે.

તેમના કહેલા શબ્દો આ અને બીજા ઘણા પુસ્તકો માં જોવા મળશે; સત્ય અને મુક્તિના આકાંક્ષી માટે આ શબ્દો અમુલ્ય પુરવાર થશે.

Product Tags: Pratikraman Set
Read More
success