મેળવો સમજણ, મનુષ્યના સાચા ધર્મ વિશે, પૂજ્ય દીપકભાઈ પાસેથી સત્સંગ પ્રશ્નોત્તરી દ્વારા!
પૂજ્ય દાદાશ્રીની ૧૦૧ જન્મજયંતીના પ્રસંગે પૂજ્ય દીપકભાઈ મનુષ્ય જીવનના સાચા ધર્મ વિશે સમજાવે છે. કોઈને દુઃખ ના આપવું, બીજાનો દ્રષ્ટિકોણ સમજવો, જીવન પરોપકારમાં વ્યતિત કરવું અને આત્મજ્ઞાન મેળવી જીવન-મરણના ફેરામાંથી મુક્તિનો માર્ગ મેળવવો, વગેરે માનવધર્મ ના અનેક પાસાઓનું દ્રષ્ટાંતો સાહિત વર્ણન કરે છે.